ભગવાન ગણેશની પૂજામાં તુલસી શા માટે છે વર્જિત ?
ભગવાન ગણેશની પૂજામાં તુલસી શા માટે છે વર્જિત ? હિન્દુ ધર્મમાં, ગૌરીના પુત્ર ભગવાન ગણેશને સુખ, સમૃદ્ધિ, કીર્તિ, અવરોધો અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશજીને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓ દૂર કરે છે. ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે વિવિધ વસ્તુઓ ચઢાવે છે. ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો. પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न तुलस्या गणाधिपम | ’ એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, ‘ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા’ એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની,