શ્રાદ્ધ પક્ષ વિશે વિસ્તૃત માહિતી ભાગ - 5
🕉 શ્રાદ્ધનો મહિમા : શ્રદ્ધા, માન્યતા, વિજ્ઞાન, અને ધર્મ 🕉 ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના સોળ દિવસ એટલે શ્રાદ્ધના દિવસો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર. પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન, વસ્ત્રદાન, બ્રહ્મભોજન કરાવાય છે. આદિકાળથી અત્યાર સુધી તેનો મહિમા જળવાઈ રહ્યો છે, તે જ દર્શાવે છે કે કળિયુગમાંય શ્રાદ્ધવિધિમાં લોકોની શ્રદ્ધા જળવાઈ રહી છે. ગરુડપુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રાદ્ધના સંવાદનો ઉલ્લેખ છે. ભગવાન કહે છે કે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. જે સમયાનુસાર શ્રધ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તેમના કુળમાં કોઈ દુ:ખી નથી થતું અને સંતતિ, સંપત્તિ, યશ, બળ, કીર્તિની પ્રાપ્તિ કરે છે.’ દેવકાર્ય કરતાં પણ પિતૃકાર્યનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે. એક કથા મુજબ સૌથી પહેલું શ્રાદ્ધ મહાભારતકાળમાં મહાઋષિ દત્તાત્રેયના તપસ્વી પુત્ર નિમીએ કર્યાનો દાખલો છે. નિમીનો શ્રીમાન નામનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. તેની યાદમાં નિમીએ અનેક ચીજોનું દાન કરી તર્પણ કર્યું હતું. જોકે આ શ્રાદ્ધ અજાણતા જ થયું હતું તો એથીયે પહેલાં દશરથજીના અવસાન બાદ વનવાસ દરમિયા