ચાર વેદના ચાર વાક્યો સામવેદ કહે છે – तत्वमसी, યજુર્વેદ કહે છે – अह्म ब्रम्हास्मि, ૠગવેદ કહે છે – प्रज्ञानं ब्रम्ह, અથર્વવેદ કહે છે – अयमात्मा ब्रम्ह. ઉપનિષદોના મહાવાક્યોથી આત્મા-પરમાત્મા વચ્ચેના સંબંધોનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય છે: 1. અહમ બ્રહ્માસ્મિ: હું જ બ્રહ્મ છું એટલે કે હું – આત્મા એ જ મારું સાચું સ્વરૂપ બ્રહ્મ છે. 2. તત્વમસિ: (તત + ત્વમ + અસિ) એટલે કે તે જ તું છે – આર્થાત આત્મા જ પરમાત્મા છે. 3. અયમ આત્મા બ્રહ્મ: આપણા બધાનો આત્મા બ્રહ્મ જ છે. 4. પ્રજ્ઞાનમ બ્રહ્મ: પ્રજ્ઞા – પરમ ચૈતન્ય એ જ બ્રહ્મ છે. 5. સર્વમ ખલુ ઈદમ બ્રહ્મ: સર્વ જે કંઈ છે એ બધું જ બ્રહ્મ છે. વેદ એ વિશ્વના પ્રથમ ધર્મગ્રંથ છે. તેના આધારે દુનિયાના અન્ય ધાર્મિક ઉપદેશો ઉત્પન્ન થયાં, જેઓ વેદના જ્ઞાનને પોતાની રીતે અલગ અલગ અલગ ભાષા પ્રચારિત કરે છે. વેદ ઇશ્વર દ્વારા ઋષિઓને સંભળાવેળ જ્ઞાન પર આધારિત છે એટલા માટે તેને શ્રુતિ પણ કહેવાય છે. સામાન્ય ભાષામાં વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદ પ્રાચીન જ્ઞાન વિજ્ઞાનનો અથાગ ભંડાર છે. મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન છે. વેદનો માં બ્રહ્મ (ઈશ્વર), દેવતા, બ્રહ્મ, જ...
Comments
Post a Comment